જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહિ પડે જો સવાર સવાર માં કરશો આ કામ
જો તમે તમારા
કાર્યક્ષેત્રમાં પૈસાની કટોકટીનો સામનો કરી રહ્યા છો, તો પછી તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના
ઉપાય અપનાવી શકો છો. વાસ્તુ પ્રમાણે જો તમે સવાર સવાર માં
આ ટીપ્સ અનુસરો છો તો તમારા જીવનમાં પૈસાની કમી નહીં રહે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને
જીવનમાં અપાર સંપત્તિ મળશે. ચાલો જાણીએ વિગત વાર નુસખો.
વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે ઉઠ્યા પછી અને સવારનો નાસ્તો કર્યા પહેલાં તમારી નાભિ ઉપર ગુલાબનો અત્તર લગાવો. આ કાર્ય કર્યા પછી જ ઘરની બહાર નીકળો. ધ્યાનમાં રાખો કે અત્તરનો ઉપયોગ કરતા પહેલા તેને દેવી દુર્ગાને અર્પણ કરો. તેમને અર્પણ કર્યા પછી જ તેનો જાતે ઉપયોગ કરો. આ કરવાથી, તમારે જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો નહિ પડે.
લક્ષ્મીજી ખૂબ જ આનંદિત થાય છે
વાસ્તુ મુજબ ઘરના પ્રવેશદ્વાર પર ઓમ, શ્રીગણેશ, શુભ-લાભના પ્રતીકો મુકવા જોઈએ. આ પ્રતીકો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવશે અને નકારાત્મક ઉર્જા દૂર કરશે. ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે સવારે મુખ્ય દરવાજો ખોલો છો, પ્રથમ આ પ્રતીકોને પ્રણામ કરો, પછી જ દરવાજો ખોલો. નિયમિતપણે આ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ આનંદિત થાય છે, તેમજ સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજાનું જેટલું મહત્વ ઘરમાં પ્રવેશ કરવા માટે છે, તેટલું જ સંપત્તિ વધારવા માટે પણ છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જો તમને આર્થિક સમૃદ્ધિ જોઈએ છે, તો મુખ્ય દરવાજા પર ડાર્ક કલર કરાવો. જો કે એ વાતનું ધ્યાન રાખો કે ત્યાં કાળો રંગ હોવો જોઈએ નહીં. શુભ રંગ માનવામાં આવતા લાલ અને મરૂન રંગોની પસંદ કરી શકાય છે તેનાથી સંપત્તિમાં વધારો થાય છે.
પૈસાની તંગી કદી પડતી નથી
જો તમારા પ્રવેશદ્વાર પર મરુન અને લાલ રંગ ન હોય તો આ માટેનો ઉપાય પણ છે. તમે તમારા પ્રવેશદ્વાર પર શુભ માનવામાં આવતા લાલ અને મરૂન રંગોથી ડિઝાઇન બનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળે છે. ધ્યાનમાં રાખો કે જ્યારે તમે સવારે ઉઠતાની સાથે જ મુખ્ય દરવાજો ખોલતા હો ત્યારે, શુભ રંગમાં બનાવેલી આ ડિઝાઇન જુઓ અને દેવી લક્ષ્મીને પ્રાર્થના કરો. આ કરવાથી, પૈસાની તંગી કદી પડતી નથી.

Comments
Post a Comment